અમરેલી

સાહિત્ય જગતની શાન શ્રી મણીભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત વ્રજકુંવરબેન મોદી મહિલા પુસ્તકાલયને કળથીયા પરિવાર તરફ પુસ્તક સંપુટોની ભેટ

દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય ને લાઠી તાલુકા ના હજીરાધાર ના સુરત સ્થિત દાતા ડાયમંડ નગર ના મોભી  શેઠ શ્રી ભીમજીભાઈ ડાયાભાઇ કળથીયા શીવાભાઇ તેમજ કુરજીભાઈ અને ધીરુભાઈ કળથીયા પરિવાર તરફ થી ખૂબ મોટી સંખ્યા માં વ્યક્તિ વિકાસ મહાપુરુષો ના જીવન ચરિત્ર વીરપુત્રો વિરાંગના વૈજ્ઞાનિક શોધ સંશોધન પ્રવાસ કથા હુન્નર કૌશલ્ય અધ્યાત્મત સહિત અસંખ્ય પુસ્તક સંપુટ ની ભેટ અપાયેલ છે ધામેલ ના હાલ સુરત સામાજિક  અગ્રણી ઉદ્યોગ રત્ન શ્રી રફીકભાઈ હુનાણી દ્વારા દામનગર શહેર ની સાહિત્ય સંસ્થા નો પરિચય દાતા પરિવાર સુધી પહોંચતા વતન પ્રેમી દાતા શ્રી ભીમજીભાઈ ડાયાભાઈ કળથીયા પરિવારે દામનગર સાહિત્ય સંસ્થા ને વિશાળ સંખ્યા માં પુસ્તકો ની ભેટ આપતા દાતા પરિવાર પ્રત્યે સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા સહિત સમગ્ર ટ્રસ્ટી એવમ વાંચક વર્ગ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો દાતા ની ઉદારતા ની સરાહના કરી ખુશી વ્યક્ત કરતા પ્રમુખ હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે ઉદાર વ્યક્તિ ગામ વચ્ચે ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર છે શીતળ છાયો અને ફળ બંને આપી શકે છે 

Related Posts