રાષ્ટ્રીય

સિક્કિમમાં પૂરના કારણે અત્યાર સુધી ૨૬ લોકોના મોત, ૧૪૨થી વધુ લોકો હજુ પણ લાપતા

સિક્કિમમાં અચાનક પૂર આવ્યાના ત્રણ દિવસ પછી, તેના પાણીના પ્રવાહના નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને ૨૬ થઈ ગઈ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં સેનાના સાત જવાનો પણ સામેલ છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે ૧૪૨ લોકો હજુ પણ ગુમ છે, જ્યારે લગભગ ૨,૪૧૩ લોકોને બચાવી લેવામાં આવ્યા છે

અને તેઓ રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગે રાજ્યમાં આવેલા પૂરમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. તેમણે રાહત શિબિરોમાં આશ્રય લેનારા પ્રત્યેકને ૨,૦૦૦ રૂપિયાની તાત્કાલિક રાહત આપવાની પણ જાહેરાત કરી હતી. સિક્કિમમાં આવેલા પૂરના કારણે “હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે પ્રથમ પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવાની અને તેમને તાત્કાલિક રાહત પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું, “જિલ્લાઓ વચ્ચેનો માર્ગ સંપર્ક તૂટી ગયો છે અને પુલો ધોવાઈ ગયા છે.

“ઉત્તર સિક્કિમમાં સંચાર સેવાઓને ભારે અસર થઈ છે.” બરડાંગ વિસ્તારમાંથી ગુમ થયેલા ૨૩ આર્મી સૈનિકોમાંથી સાતના મૃતદેહ નીચાણવાળા વિસ્તારોમાંથી મળી આવ્યા છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો છે અને બાકીના ગુમ થયેલા જવાનોની શોધ સિક્કિમ અને ઉત્તરીય વિસ્તારોમાં ચાલી રહી છે.. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીજીડ્ઢસ્છ) એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે.

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીજીડ્ઢસ્છ) એ જણાવ્યું હતું કે, પાક્યોંગ જિલ્લામાં સાત સૈનિકો સહિત કુલ ૧૬ લોકોના મોત થયા હતા, જ્યારે ગંગટોકમાં છ લોકો અને મંગન જિલ્લામાં ચાર લોકોના મોત થયા હતા. મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ સાથે વાત કરી છે. “તેમણે મને ખાતરી આપી છે કે રાજ્યને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે,” શાહે સિક્કિમમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એસડીઆરએફ)ના કેન્દ્રીય હિસ્સામાંથી રાજ્યને રૂ. ૪૪.૮ કરોડની એડવાન્સ રકમ આપવા માટે મંજૂરી આપી છે. પૂરના કારણે રાજ્યમાં ૧૩ પુલ ધોવાઈ ગયા હતા, જેમાં એકલા મંગન જિલ્લામાં આઠ પુલનો સમાવેશ થાય છે. ગંગટોકમાં ત્રણ અને નામચીમાં બે પુલ ધોવાઈ ગયા છે. પૂરને કારણે ચુંગથાંગ શહેરમાં સૌથી વધુ વિનાશ થયો છે અને તેનો ૮૦ ટકા વિસ્તાર પ્રભાવિત થયો છે. રાજ્યની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઈવે (દ્ગૐ) ૧૦ને ઘણી જગ્યાએ ભારે નુકસાન થયું છે. દરમિયાન, તિસ્તા બેરેજ પાસેના નીચાણવાળા વિસ્તારમાં લાપતા સેનાના જવાનોની શોધખોળ ચાલુ છે. સંરક્ષણ પ્રકાશન અનુસાર, બરડાંગમાં ઘટના સ્થળે સેનાના વાહનોને કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશનમાં ડોગ ટીમ અને ખાસ રડારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Related Posts