બોલિવૂડ

સિતારે જમીન પરને ૨૦૨૪માં ક્રિસમસ વીકેન્ડ પર રિલીઝ કરવાનું આમિર ખાનનું આયોજનફિલ્મ ‘સિતારે જમીન પર’માં લીડ રોલ માટે જેનેલિયા ડિસોઝા દેશમુખની પસંદગી કરાઈ

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ એક્ટિંગમાં બ્રેક લીધો હતો. આમિર ખાને ત્રીજી જાન્યુઆરીએ દીકરી ઈરાના લગ્નની જાહેરાત કરી છે. દીકરીના લગ્ન પૂરા થતાની સાથે જ ફરી એક્ટિવ થવા આમિર ખાને આયોજન કર્યું છે. સની દેઓલ સાથે ફિલ્મની તૈયારી હાથ ધરવાની સાથે આમિરે સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયન્સના આધારે ‘સિતારે જમીન પર’ બનાવવા કમર કસી છે. જાન્યુઆરી મહિનાથી તેનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. સિતારે જમીન પરને ૨૦૨૪માં ક્રિસમસ વીકેન્ડ પર રિલીઝ કરવાનું આમિરનું આયોજન છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલા આમિર ખાને લીડ રોલ માટે જેનેલિયા ડિસોઝા દેશમુખની પસંદગી કરી છે. આમિરને આ ફિલ્મ માટે મજબૂત અને આર્ત્મનિભર મહિલાની જરૂર છે. આ રોલ માટે તેમને જેનેલિયા પરફેક્ટ લાગી છે. ફિલ્મમાં આમિરની પ્રેમિકાના રોલમાં જેનેલિયા જાેવા મળશે. આમિર અને જેનેલિયાએ અગાઉ ‘જાને તુ યા જાને ના’માં સાથે કામ કર્યુ હતું. આમિર ખાને આ ફિલ્મનું પ્રોડક્શન કર્યું હતું. બીજી ફિલ્મમાં સાથે કામ કરવા આમિર અને જેનેલિયાએ પોતાના કેરેક્ટરને સમજવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં સ્પેશિયલ બાળકોની સ્ટોરીને રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં કોમેડીની સાથે ઈમોશન અને મેસેજ પણ હશે. ફિલ્મના અન્ય કેરેક્ટર્સ માટે કાસ્ટિંગની પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી.

Related Posts