સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ મુસેવાલા મર્ડર કેસના આરોપી સચિન બિશ્નોઈ ઉર્ફે સચિન થાપનને અઝરબૈજાનના બાકુ શહેરમાંથી ભારત લાવવામાં આવી રહ્યો છે. પ્રખ્યાત પંજાબી ગાયક મુસેવાલાને ગયા વર્ષે ૨૯ મેના રોજ ગોળી મારવામાં આવી હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર પણ સિદ્ધુ મુસેવાલાની હત્યાના આરોપી છે. પોલીસનું કહેવું છે કે, સચિન બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મહત્વનો સભ્ય છે અને તે ખંડણી પણ વસૂલતો હતો.
થોડા સમય પહેલા એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન, લોરેન્સે પોતે કબૂલાત કરી હતી કે ગોલ્ડી બ્રારે મૂસેવાલાની હત્યાની યોજના ઘડી હતી. આ સિવાય તેણે કહ્યું હતું કે તેને હત્યાની જાણ હતી પરંતુ તે પ્લાનિંગમાં સામેલ ન હતો. સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવવાના પ્રયાસોમાં ગૃહમંત્રી અમિત શાહ પોતે અંગત રીતે સામેલ હતા. ગૃહમંત્રી શાહની સંડોવણીને કારણે સચિન બિશ્નોઈને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. હવે ગૃહમંત્રીએ દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા છે કે સચિન વિરુદ્ધ કોર્ટમાં ચાલી રહેલા કેસને ઝડપથી ચલાવવામાં આવે અને તેને સજા કરવામાં આવે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે મુસેવાલા હત્યા કેસના બે આરોપીઓની અઝરબૈજાન અને કેન્યાથી ધરપકડ કરવામાં આવી છે.
ઘણા મહિનાઓના પ્રયાસો બાદ મંગળવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સચિનને ??અઝરબૈજાનથી ભારત લાવવામાં સફળ રહી હતી. સિદ્ધુ મુસેવાલા પોતાના ગામ જઈ રહ્યા હતા, ત્યારે લગભગ ૫-૬ લોકો રસ્તામાં હતા, માનસા જિલ્લામાં તેની કારને ઘેરી લેવામાં આવી અને તેના પર ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં તેને ઘણી ગોળીઓ વાગી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બાદમાં કહેવામાં આવ્યું હતું કે મુસેવાલાની હત્યા દુબઈથી આયાત કરાયેલા હથિયારથી કરવામાં આવી હતી.
Recent Comments