તા૧૨-૭-૨૦૨૧ સોમવાર ના રોજ અષાઢી બીજના દિવસે સિહોરમાં ઠાકરદ્વાર મંદિરે ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ શ્રી બલરામ અને બહેનશ્રી સુભદ્રા સાથે નિકળનારી રથયાત્રા હાલની કોવિડ ૧૯ કરોના મહામારી ને લઈને સરકારશ્રી ની ગાઈડ લાઇન (SOP) મુજબ રથયાત્રા નીકળે તેમાં ૬૦ વ્યક્તિ જ કે જેણે રસી લીધી હોય તેણે RTPCR ટેસ્ટ કરાવી નેગેટિવ આવે તો જ ભાગ લઈ શકે યાત્રા માં બેન્ડ કે માઇક નહી વગાડવું યાત્રા જે રૂટ પર પસાર થાય ત્યાં કરફયુ રહે એટલે નાના મોટા ધંધા રોજગાર બંધ રહે રૂટ ટુકાવવાનો આવી પરિસ્થિતિ ઉભી થતી હોય સિહોર ની પ્રજા ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી અને સંક્રમણ ન વધે તે માટે સિહોર જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે કે ભગવાનશ્રી જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ શ્રીબલરામ મંદિર પરિસરમાં જ રથયાત્રા કરી ભક્તોને દર્શન દઈ ને પુરી કરવામાં આવશે તો દરેક ભક્તો ને દર્શન નો લાભ લેવા વિનંતી તેમ રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી ભરતભાઈ મલુકાએ સમિતિનો નિર્ણય જાહેર કરેલ છે.
સિહોરમાં જગગન્નાથજી રથયાત્રા બંધ રાખવાની જાહેરાત

Recent Comments