ભાવનગર

સિહોર તાલુકાનાં કરકોલીયા ગામે કોવિડ રસીકરણ- મમતા દિવસ- કૃમિ દિવસ પોષણ વિતરણ કાર્યક્રમો યોજાયા

સિહોર તાલુકા હેલ્થ કચેરીનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડનાં કરકોલીયા ગામે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો તા.૧૨-૦૮-૨૦૨૧ નાં રોજ યોજાયા જેમાં મમતા દિવસ, સગર્ભા માતાને રસીકરણ, તપાસ, ટેબ. આયર્ન ફોલીક, ટેબ. કેલ્શિયમ વિતરણ કરાયેલ તેમજ રાષ્ટ્રિય કૃમિનાશક દિવસ અન્વયે બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ બાળકોને રૂબરૂ ગણાવેલ તેમજ કોવિડ રસીકરણ ઝુંબેશ + પોષણકીટો, આયોડીન મીઠું વિતરણ હાથ ધરાયેલ અને રસીનું મહત્વ સમજાવીને વધુમાં વધુ લોકોને આવરી લેવાયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ તેમજ આશાફેસી, આશા આંગણવાડી વર્કર બહેને જહેમત ઉઠાવી હતી

Related Posts