સરકારશ્રીના આયોજન તળે સિહોર તાલુકાના સણોસરા ગામે મળેલી રાત્રીસભામાં ભાવનગર જિલ્લા કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે તંત્ર વાહકોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. સામૂહિક હિતના મોટાભાગના પ્રશ્નો સ્થળ પર જ ઉકલ્યાં જેથી આ રાત્રીસભા સણોસરા ગામ માટે વિકાસની ઉત્સવસભા સમાન બની છે.
ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડી. કે. પારેખ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. પ્રશાંત જીલોવાની ઉપસ્થિતિમાં સરપંચ શ્રી હિરાભાઈ સાંબડના સંકલન સાથે મળેલી રાત્રીસભામાં ગ્રામજનોએ સૌનું વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું અને સ્થાનિક સામૂહિક હિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
જિલ્લા કલેકટર શ્રી ડી. કે. પારેખ દ્વારા ગ્રામપંચાયત અને ગામના સંકલનની પ્રશંસા કરી સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ તથા સભ્યો અને આગેવાનોને બિરદાવ્યા હતા. તેઓએ અહી રજુ થયેલા પ્રશ્નો વ્યક્તિગત નહિ પણ સામૂહિક હોવાની નોંધ લઈ અહીંયા આંતરિક વિરોધ કે વાંધા જેવી બાબતો ન હોવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જિલોવાએ સરપંચ તથા તલાટીના સંકલન સાથે સરકારની વિવિધ યોજનાઓ માટે સૌને લાભ લેવા અનુરોધ કર્યો હતો. મનરેગા યોજના અને સ્વચ્છતા પર ખાસ ભાર મૂક્યો હતો.
આ તકે પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા સાથે મામલતદાર શ્રી જોગસિંહ દરબાર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઝમીન દેસાઈ સાથે સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના શ્રી હેમાબેન દવેના સંકલન સાથે વિવિધ યોજના માહિતી આપવા સાથે લાભાર્થીઓને સહાય તેમજ આધાર વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સભામાં લોકભારતી સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેની ઉપસ્થિતિ રહી હતી. અહી અગ્રણી શ્રી ગોકુળભાઈ આલ તથા ગ્રામજનો દ્વારા મુખ્ય રજૂઆતો કરવામાં આવી હતી.
Recent Comments