સુરત શહેરમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સીંગણપોર વિસ્તારમાં આવેલા વિજયરાજ સર્કલ નજીક આગ લગતા અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આગનું ભીષણ સ્વરૂપ જાેઈને આસપાસના લોકો પણ ડરી ગયા હતા. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે. વિજયરાજ સર્કલ પાસે કચરાના ઢગલામાં આગ લાગતા પતરાના શેડમાં આગ પ્રસરી હતી. સમગ્ર પતરાનો શેડ આગમાં બળીને ખાક થઈ ગયો હતો. આખો પતરાનો શેડ આગની લપેટમાં આવતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. ફાયરને કોલ મળતા તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આગ ખૂબ જ ભીષણ હોય તેવા દ્રશ્યો દેખાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. આજ ખૂબ જ સામાન્ય હતી પરંતુ એકાએક આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. આસપાસના લોકો પણ ડરી ગયા હતા. માત્ર પતરાનો શેડ હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
Recent Comments