ગુજરાત

સીએનજીના ભાવ વધારા સામે રિક્ષાચાલકોની હડતાળ

સીએનજીના ભાવ ઘટાડવા આવે. બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો સીએનજીના ભાવમા કેમ નહીં. રિક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે સીએનજીમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર ૧૫ ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર ૧૪ ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી સીએનજીના ભાવમાં રૂપિયા ૨૦થી ૨૫ રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો ૯ રૂપિયાનો ઘટાડો સીએનજીના ભાવમાં કરવામાં આવે એવી માગ કરવામાં આવી છે. અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડાવધારા મામલે ર્નિણય લીધો છે,

જે માન્ય નથી. જેથી આગામી ૧૫-૧૬ ઓક્ટોબરની હડતાળ યથાવત્‌ રહેશે. રિક્ષાચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડાવધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માગ અને પ્રશ્નોને લઈને સીએનજી ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રિક્ષાચાલકોનો સમાવેશ થાય છે, જેઓ આ લડત માટે બનાવેલી સમિતિનો ભાગ ન હતા, તેઓ પણ દાવો અન્ય રિક્ષાચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે, જેને લઈ હવે રિક્ષાચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જાેડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ યુનિયનોએ હડતાળને વખોડી કાઢી છે.અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોનાં વિવિધ એસોસિયેશનો-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવવધારા વિરોધી સમિતિ દ્વારા ઝ્રદ્ગય્નો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા પંદર હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે ૧૫ નવેમ્બર આખો દિવસ, ૧૬ નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે. આ હડતાળમાં જાેડાવા અંગે રિક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જાેડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદના જૂના સર્કિટ હાઉસ ખાતે રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સીચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. ૧૨ નવેમ્બરે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. રિક્ષાચાલક સમિતિએ દાવો કર્યો છે કે આંદોલનમાં ૧૫ લાખ કરતાં વધારે રિક્ષાચાલકો અને ૫૦ હજાર જેટલા ટેક્સીચાલકો જાેડાશે.

Related Posts