પાકિસ્તાનથી ભારતમાં આવેલી સીમા હૈદરને કોણ નથી ઓળખતું. સીમા હૈદરનો દાવો છે કે તેણે નેપાળમાં ભારતના સચિન મીના સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન આ વર્ષે માર્ચમાં નેપાળના પશુપતિનાથ મંદિરમાં થયા હતા. આ દરમિયાન બંને એક અઠવાડિયા સુધી હોટલમાં રોકાયા હતા. આ પછી સીમા પાકિસ્તાન પાછી ફરી, પછી ફરીથી પોતાના બાળકોને સાથે લઈને નેપાળ થઈને ભારતમાં પ્રવેશી. સચિન મીના સાથે પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરવાના દાવાને લઈને શંકા વધુ ઘેરી બની છે. મંદિરની બહાર એક બોર્ડ છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે અહીં માત્ર હિન્દુઓ જ પ્રવેશ કરી શકે છે, આવી સ્થિતિમાં સીમા હૈદરે પ્રવેશ કેવી રીતે લીધો કે પછી તેણે પોતાની ઓળખ છુપાવી, આ મોટો પ્રશ્ન ઉભો થયો છે. તે જ સમયે, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના લગ્ન રજિસ્ટરમાં સચિન મીના અને સીમા હૈદરના લગ્નનો કોઈ ઉલ્લેખ નથી. આ નામ સાથે મંદિર પરિસરમાં કોઈ લગ્ન થયા નથી. વર્ષોથી મંદિરની બહાર પૂજા સામગ્રી વેચતા લોકો કહે છે કે મંદિર પરિસરમાં માત્ર હિન્દુ લોકો જ જાય છે,
અન્ય કોઈ ધર્મના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. તમામ લગ્ન પરિસરની અંદર શક્તિપીઠ માતા પાર્વતીના મંદિરમાં થાય છે. જાે કોઈ હિંદુ ધર્મ અપનાવ્યા પછી લગ્ન કરવા માંગે છે, તો તે મંદિર પરિસરમાં થાય છે. આ સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. હા, એક વાત ચોક્કસ છે કે લોકો પોતાની ઓળખ છુપાવીને ચોક્કસ લગ્ન કરી શકે છે, આ માટે કોઈ દસ્તાવેજાે માંગવામાં આવતા નથી. વાસ્તવમાં, સીમા હૈદર ઁેંમ્ય્ રમતી વખતે સચિન સાથે પ્રેમમાં પડી ગઈ હતી. આ લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી માનવામાં આવતી ન હતી. સીમાને ચાર બાળકો છે જેમને તે પોતાની સાથે લાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ૫મું પાસ છે, પરંતુ તે ઉત્તમ હિન્દી અને અંગ્રેજી શબ્દો બોલે છે. આ કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે પાકિસ્તાનની જાસૂસ બની શકે છે. તે સચિન સાથે ગ્રેટર નોઈડામાં રહી હતી. જાેકે ેંઁ છ્જીએ સીમા અને સચિનની પૂછપરછ કરી છે. સીમાનો દાવો છે કે તેણે હિંદુ ધર્મ અપનાવ્યો છે અને તે સચિન વિના રહી શકતી નથી. જાે અલગ થઈ જશે તો તે પાકિસ્તાન પરત ન જવાને બદલે મરવાનું પસંદ કરશે, પરંતુ ભારત અને પાકિસ્તાનના ધાર્મિક નેતાઓએ પણ તેને પાકિસ્તાન પરત મોકલવાની અપીલ કરી હતી. આ બાબતે ભારત સરકારના હસ્તક્ષેપની માંગ કરવામાં આવી હતી.
Recent Comments