અમરેલી

કસુંબલ કાઠીયાવાડી કલાયરો કાર્યક્રમ સંપન્ન:કલાકારો દ્વારા હાલરડા તેમજ પ્રાચીન ગરબાઓ પ્રસ્તૃત કરાયા

અમરેલી ખાતે શ્રી કલાધાર મલ્ટી ક્રેડિટ અને સેવિગ્ઝ સોસાયટી દ્વારા કસુંબલ કાઠીયાવાડી કલાયરો ની સ્થાપના કરવામાં આવી. જેમા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયાના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં પ્રથમ હાલરડાની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ર૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. આ સુંદર આયોજનમાં સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા તેમજ વર્ષોથી કલાને ઉજાગર કરવા પ્રયત્નો કરતી સંસ્થા લોક સાહિત્ય સેતુના મહેન્દ્રભાઈ જોષી, ગોરધનભાઈ સુરાણી, હસુભાઈ, રજનીભાઈ ભટ, સરલાબેન ગજેરા, કોકીલાબેન ભિમાણી, રસીલાબેન મોવલીયા, અલ્કાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, અનસુયાબેન શેઠ સહિત બહોળી સંખ્યામાં કલાના ચાહકો ઉપસ્થિત રહયા હતા.

Related Posts