લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દર્દી નારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ની અંદર ઓપીડી માં 65 દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ મોતિયા ના ઓપરેશન માટે 28 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું દિપ પ્રાગટય કબીર ટેકરી ના મહંત નારાયણ સાહેબ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી માંથી ભુપતભાઇ ભુવા તથા શરદભાઈ વ્યાસ, રમેશભાઈ ગોલ, અશ્વિનભાઈ ડોડીયા, એમ.એમ.પટેલ, દર્શનભાઈ તથા વિશાલભાઇ વ્યાસ, જગદીશભાઈ જેઠવા, જીતેનભાઈ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી તથા પટેલ બેટરી વાળા વિઠ્ઠલભાઈ, સુદર્શન નેત્રાલય ના કર્મચારી નિલેષભાઈ ભીલ, અતુલભાઈ દવે, હિંમતભાઈ કાછડીયા તથા કબીર ટેકરી ના સ્વયં સેવકો વગેરે સેવા આપી હતી… આ કેમ્પ દર મહિના ના ત્રીજા ગુરુવારે છેલ્લા 11 વર્ષ થી યોજાય છે.
સુદર્શન નેત્રાલય હોસ્પિટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું

Recent Comments