સાવરકુંડલા માનવ મંદિર માં પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં રખડતા ભટકતા નિરાધાર ૬૦ મહિલાઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે ડોક્ટર વિવેક જોશી ની નિગરાનીમાં નિયમિત દવાઓ આપવામાં આવી રહી છે આવી અનોખી અને અદભૂત સેવા કરતી સાવરકુંડલા પાગલ આશ્રમ માનવ મંદિર સંસ્થાની મુલાકાતે સુપ્રસિદ્ધ પાળિયાદની જગ્યાના મહંત ભયલુ બાપુને સેવક સમુદાય સાથે મુલાકાત લીધી હતી માનવ મંદિર વિશે અને તેમની સેવા વિશે ભક્તિ બાપુ પાસેથી જાણકારી મેળવી હતી ઉપરાંત મનોરોગી બહેનો સાથે પણ વાતચીત કરી હતી અને માનવ મંદિર ખાતે આવેલી ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી ઉપરાંત સાંજનું ભોજન ભયલુ બાપુ મનોરોગી બહેનોને જાતેજ પીરસ્યું હતું. ભયલુ બાપુ ના સેવક સમુદાય માં જાબાળ થી ભયલુ ભાઇ ખુમાણ હાથસણી ના સરપંચ શિવરાજભાઈ ખુમાણ સાવરકુંડલા થી મયુરભાઈ ખાચર પ્રવીણભાઈ કોટીલા સાથે રહ્યા હતા
સુપ્રસિદ્ધ પાળીયાદ જગ્યા ના મહંત ભયલુ બાપુએ સેવક સમુદાય સાથે સાવરકુંડલા માનવ મંદિરની મુલાકાત લીધી

Recent Comments