ગુજરાત

સુપ્રસિદ્ધ શામળાજી મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સોનાથી શુશોભી ઊઠ્યું : એક ભક્તે 7 લાખ સોનાનું દાન  

  સમગ્ર દેશ-વિદેશમાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બીરાજતા શ્રી ગદાધર ભગવાન વિષ્ણુના પાવનકારી દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે શામળાજી મંદિરમાં બિરાજતા ભગવાન કાળીયા ઠાકોર અખૂટ શ્રધ્ધા ધરાવતા ભક્તો તરફથી શામળાજી મંદીરને સોના-ચાંદીનું દાન કરવામાં આવે છે ત્યારે એક ભક્ત દ્વારા શામળાજી મંદિરના ગર્ભગૃહમાં  બિરાજતા ભગવાન શામળિયાના પ્રવેશદ્વારને એક ભક્તે 7 લાખ રૂપિયાના ખર્ચે સ્વર્ણ જડીત બનાવવા માટે સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વારને સોનાથી મઢવામાં આવતા મંદિર ટ્રસ્ટીઓ અને ભક્તોમાં આનંદ છવાયો હતો 

 શામળાજી મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની આસ્થાનુ કેન્દ્ર છે. હજારોની સંખ્યામાં ઠેર ઠેરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહી આવે છે અને શામળા શેઠના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.શામળાજી મંદિરમાં આસ્થા ધરાવતા એક ભક્તે 7 લાખથી વધુની કિંમતના સોનાનું દાન કરતા મંદિર ટ્રસ્ટે ગર્ભગૃહમાં બિરાજતા કાળીયા ઠાકોરના પ્રવેશદ્વારને સોનાથી શણગારી પ્રવેશદ્વાર પર સોનાથી ભગવાનના  વામન,કલગી અને નરસિંહ જેવા જુદા-જુદા અવતાર કંડારાયા હતા ગર્ભગૃહનું પ્રવેશદ્વાર સ્વર્ણ જડીત બનાવવા માટે 7 લાખનું ગુપ્ત દાન અપાનાર ભક્તનો મંદિર ટ્રસ્ટ અને ભક્તોએ આભાર વ્યક્ત કર્યો હતો

Related Posts