પંજાબ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દેશ ની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે વડા પ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મામલો ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી કરવી જાેઈએ.
તેમણે અરજીમાં સુરક્ષા ભંગની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ સાથે ભટિંડા જિલ્લા ન્યાયાધીશને પીએમની મુલાકાત માટે પોલીસ બંદોબસ્ત સાથે સંબંધિત તમામ પુરાવાઓ કબજે લેવા માટે કહેવામાં આવ્યું છે. અરજીમાં ઘટના અંગે રિપોર્ટ, પંજાબ સરકારને યોગ્ય નિર્દેશો અને જવાબદારો સામે કાર્યવાહી કરવા અને આવા ઉલ્લંઘનની પુનરાવૃત્તિ રોકવાની માંગ કરવામાં આવી છે.
Recent Comments