ગુજરાત

સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં ડે ટુ ડે હિયરિંગ શરૂ થશે, પણ શું છે આખી ઘટના?.. જાણો

સુરતના માંગરોળ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો ૮ ઓક્ટોબરની રાત્રે ૧૦ઃ૪૫થી ૧૧ઃ૧૫ વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક ૧૭ વર્ષ અને ૪ મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા. ત્યારબાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા.

આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જાેકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને નરાધમોને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બૂમાબૂમ કરતાં આસપાસનાં ગ્રામજનો એકત્ર થયાં હતાં. જેથી આરોપીઓ ડરીને ત્યાં પોતાની બાઈક છોડીને ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી શિવશંકર ચોરસિયાને શોધી રહી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના પાસવાનની શોધખોળમાં હતી,

ત્યારે તડકેશ્વર નજીક આરોપી રોડ પર નજરે આવ્યો હતો. મુન્ના પોલીસને થાપ આપીને નાસી રહ્યો હતો, જેથી તેને રોકવા માટે જે-તે સંજાેગોમાં અધિકારીઓએ ફાયરિંગ કર્યું હતું. જાેકે એ સમયે તેને ઈજા થઇ નહોતી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જિતેન્દ્ર ગોસ્વામીએ તેની ઉપર ફાયરિંગ કર્યું ત્યારે તે બચવા માટે ભાગી રહ્યો હતો, પરંતુ પાંચ ફૂટ દૂર ગોળી મિસ ફાયર થઈ ગઈ હતી, જેથી તે બચી ગયો હતો અને ફાયરિંગ બાદ પણ તે ભાગી રહ્યો હતો. જાેકે થોડે દૂર જઈને તે રસ્તા પર બેસી ગયો અને પોતાને ગિરફતાર કરવા માટે કહ્યું હતું. હાથ જાેડીને આજીજી કરવા લાગ્યો હતો.
જાેકે સર્ચ દરમિયાન એક બાઈક મળી હતી.

આ બાઇકનું રજિસ્ટ્રેશન સુરત શહેરના એક વ્યક્તિના નામે હતું. જેણે વર્ષ ૨૦૦૫માં એ ખરીદી હતી. પછી તે વ્યક્તિને રાતે સુરત શહેર પોલીસની ટીમ શોધતા ખબર પડી કે એ બાઈક કોઇ બીજી વ્યક્તિને વેચવામાં આવી હતી. એ ઉપરાંત ઘણા લોકોને આ બાઇક વેચવામાં આવી હતી અને છેલ્લે એક તનવીર નામની વ્યક્તિ હતી, જે આ બાઇક ઉપયોગમાં લેતી હતી અને બાદમાં તપાસમાં તેમને ખબર પડી કે તનવીર પાસેથી રાજુ નામની વ્યક્તિ પરમ દિવસે પોતાના કામ માટે બાઈક લઇ ગયો હતો. અને એ પછી એ અને તેના બીજા બે સાગરીતો મુન્ના અને શિવશંકર પીપોદરા ય્ૈંડ્ઢઝ્રમાં મળ્યા હતા, બાદમાં રાતે તે લોકો ફરતા હતા. આ દરમિયાન પીડિતા અને છોકરો ત્યાંથી પસાર થતાં હતાં. તેમને એ લોકો જાેઇ ગયા હતા અને એકલતાનો લાભ લઇને તેમની દાનત બગડી હતી

અને પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન ત્રણેય આરોપીની જ્યારે ઓળખ થઇ ત્યારે સુરત શહેર ડીસીપી તેમજ સુરત ગ્રામ્યના એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, એએચટીયુ અને સ્થાનિક પોલીસના તમામ અધિકારીઓની ટીમ મળીને સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં ખબર પડી કે આરોપી તડકેશ્વર વિસ્તારમાં છે. આ લોકોની ભાળ મળતાં અલગ અલગ ટીમ બનાવીને આરોપી મુન્ના અને શિવશંકરને ઝડપી પાડ્યા હતા. એક આરોપીને પકડી પાડવા માટે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. હાલમાં પોલીસ પૂછપરછ દરમિયાન શિવશંકર નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. એ બાદ તેનું મોત નીપજ્યું છે. જ્યારે આરોપી મુન્નાને પોલીસે કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

Related Posts