ગુજરાત

સુરતના મેયરના પતિ સામે બોગસ રીતે જમીન વારસાઈનું કૌભાંડ સામે આવ્યું


સુરત કલેક્ટરના આદેશને પંદર દિવસ ઉપર વિત્યા છતાં તપાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે. સુરતના મેયર પરિવારની નિરાધાર ખેડૂત ખાતેદારની તપાસ મંદ ગતિએ ચાલી રહી છે અથવા ચલાવવામાં આવી રહી છે, સુરતના મેયર હોવાથી હેમાલીબેન બોઘાવાલાની જમીન વિવાદ મામલે તપાસમાં ઢીલ વર્તાઈ રહી હોવાની આશંકા સેવાઇ રહી છે.સુરતના મેયર હેમાલીબેનના પતિના નામે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની જમીન વારસાઈ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે મેયરના પતિએ ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો ક્યા ગામનો રજૂ કર્યો તેવા સવાલો ઉઠ્‌યા છે. આ અંગે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સુરત શહેરના પ્રથમ નાગરિક હેમાલીબેન બોઘાવાલાના પરિવારની વિવાદાસ્પદ જમીન મુદ્દે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે મહુવા કૃષિપંચ મામલતદારને તપાસ સોંપી છે. મહુવાના ગાંગડિયામાં જમીન ખરીદતી વેળા મેયરના પરિવાર કયા કયા પુરાવા રજૂ કર્યા. ખેડૂત ખાતેદાર હોવાનો દાખલો કયા તાલુકાના ગામનો રજૂ કર્યો તે અંગે ઊલટ તપાસ કરાશે. સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાના પતિ સહિતના પરિવારજનોએ ઓખા ગામની સરવા નંબર ૮૭/૨, બ્લોક નંબર ૧૧૪ વાળી ૪૩૪૦૫ ચોરસમીટર જમીનમાં ૨૦૧૧માં વારસાઇ નોંધથી નામ દાખલ કરાવ્યા હતા. ઓખા ગામની જમીનમાં ૧૧૭૪ નંબરથી પડેલી એન્ટ્રી થકી જયંતીલાલ અરવિંદલાલ અને કલ્પેશ બોઘાવાલા સહિતના પરિવારજનોના નામ ૭/૧૨માં દાખલ થયા હતા.

પ્રાંત અધિકારીએ અરજી નામંજૂર કરતાં કલેક્ટરને અપીલ કરવામાં આવી હતી. તત્કાલીન કલેક્ટર ડો. ધવલ પટેલે પુરાવા ધ્યાને લઇ મામલતદાર અને ઓલપાડ પ્રાંત અધિકારીના ર્નિણયને ક્ષતિગ્રસ્ત ઠેરવી ઓખા ગામના બ્લોક નંબર ૧૧૪માં પડેલી વારસાઇની ૧૧૭૪ વાળી નોંધ રદ કરી દીધી હતી અને ત્યાર બાદ કોંગ્રેસ પણ ખુલીને મેદાનમાં આવ્યું છે અને જેના લીધે હવે રાજકરણ ગરમાયુ છે. આ વારસાઇ નોંધ બાદ ઓખા ગામના ખેડૂત ખાતેદાર હોવાનું દર્શાવી મહુવાના ગાંગડિયામાં સરવે-બ્લોક નંબર ૪૪-૩ વાળી ૪૩૭૩ ચોરસમીટર જમીન ખરીદી હતી. આ જમીન ખરીદતી વેળા ઓખા ગામના ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું. હવે ઓખા ગામમાં પડેલી વારસાઇની નોંધ તત્કાલીન કલેક્ટર રદ કરી દેતાં મેયર પરિવારની ખેડૂત ખાતેદારી નિરાધાર બની ગઇ હતી. મહુવા કૃષિપંચ મામલતદાર તપાસ રિપોર્ટ સોંપશે. મહુવાના ગાંગડિયામાં ખરીદવામાં આવેલી જમીન સર્ભે મહવા કૃષિ પાંચ મામલતદારને તપાસ સોંપાઈ છે.

Related Posts