સુરત ના વરાછા વિસ્તાર માં આવેલ કમલપાર્ક સોસાયટી માં 62 વર્ષીય આધેડ ની હત્યા કરાયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી..ઘટના ને પગલે વરાછા પોલોસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી… સુરત માં હાલ હત્યા ના કિસ્સાઓ વધી રહ્યા છે.સુરત શહેર માં સતત ગુના વધી રહ્યા છે તેવામાં સુરત ના વરાછા વિસ્તાર માં આવેલા કમલપાર્ક સોસાયટી માં હત્યા ની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો .સુરત ના કમલપાર્ક માં હીરા ના કારખાના મા બપોર ના સમયગાળા દરમ્યાન એક 62 વર્ષીય પ્રવીણ ભાઈ નકુમ ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી..
આધેડ ની લાશ મળી આવતા પોલીસ ને તાત્કાલિક જાણ કરવામાં આવતા વરાછા પોલીસ મથક નો સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરી કરી હતી.અને લાશ ને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી..મહત્વનું છે કે 62 વર્ષીય વૃદ્ધ વેપારી ની હત્યા થતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે..પોતે પ્રતિકાર કરવામાં અક્ષમ એવા વૃદ્ધ ની હત્યા થતા હત્યારાઓનું પગેરું મેળવવા એફ એસ એલ ની મદદ લેવામાં આવી હતી..હાલ પોલીસે હત્યારાઓ ને શોધવાની દિશા માં ચક્રો ગતિમાન કર્યા હતા..
Recent Comments