ગુજરાત

સુરતના વેપારી સાથે ૭૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

સુરતની રીંગરોડ કાપડ માર્કેટના વેપારી સાથે ૭૫.૬૧ લાખની છેતરપિંડી કરનાર પશ્ચિમ બંગાળના વેપારી અને સુરતના દલાલ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ આ ઠગ ટોળકી એ ૫ વર્ષમાં ૨૦-૨૫ કરોડ રૂપિયાની ૫થી વધુ કાપડના વેપારીઓ સાથે ઠગબાજી કરી હોવાનું ભોગ બનનાર વેપારી અરવિંદ પટેલે જણાવ્યું છે. કાપડ માકેટના વેપારીઓ સાથે ખરીદી કર્યા બાદ ઉધાર માલ લઈ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી સામે આવતા સાથી વેપારીઓને એલર્ટ થઈ જવા અપીલ કરાઈ છે.

અરવિંદ પટેલ (ભોગ બનનાર કાપડના વેપારી, સુરત) એ જણાવ્યું હતું કે, વેસ્ટ બંગાળના કાપડ વેપારી અને કનાખુલી રોડ કોલકોત્તા, હિંદ માર્કેટમાં દુકાન ધરાવતા પુષ્પેન્દ્ર ગુલાબ સિંગ (રહે કોલકોતા) ૧૭-૮-૨૦૧૮ થી ૨૩-૫-૨૦૧૯ દરમિયાન લગભગ ૭-૧૦ વાર તેમના પરિચયમાં આવ્યા હતાં, અને કાપડ દલાલ મદનસિંગ ભોપાલસિંગ નિરબાન (રહે જલારામ સોસાયટી, સણીયા અહેમદ રોડ, ડીંડોલી, મૂળ રાજસ્થાન)ની મદદથી પહેલા સમય સર પેમેન્ટ કરી કાપડની ખરીદી કરતા હતાં. ત્યારબાદ ઉધાર ખરીદી કરી એમને લગભગ ૮૨ લાખથી વધુ નું ૪,૧૩,૦૩૫ મીટર કાપડ ખરીદી કરી પેમેન્ટ માટે હાથ ઊંચા કરી દીધા હતાં.

૮૨ લાખથી વધુના પેમેન્ટ સામે પુષ્પેન્દ્રએ ૬ લાખ આપ્યા હતાં. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૦માં એમઓયુ કરી પુષ્પેન્દ્રએ પહેલો ચેક ૧૨ લાખનો અને બીજા ચેક ૧૦-૧૦ લાખના આપ્યા હતાં. જાેકે પ્રથમ ૩ ચેક રિટર્ન કરાવ્યા હતા. જેને લઈ નોટિસ આપી આખરે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવાની ફરજ પડી છે.

Related Posts