ગુજરાત

સુરતમાં આપમાં જાેડાયેલા મહેશ સવાણીના શુભેચ્છા આપતા પોસ્ટરો હટાવાયા

સુરતમાં આમ આદમી પાર્ટીનું રાજકીય વધતું જાય છે. આપમાં રાજકીય કાર્યકરોથી લઈને સમાજસેવો અને ઉદ્યોગપતિ પણ જાેડાઈ રહ્યા છે. ત્યારે સામાજિક અને ઉદ્યોગક્ષેત્ર સાથે જાેડાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જાેડાતા જ વરાછા વિસ્તારમાં તેમને શુભેચ્છા આપતા બોર્ડ લાગી ગયા હતાં. જેથી બેનર અને હોર્ડિંગ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. નિયમ વિરૂદ્ધ બેનર લાગ્યા હોવાના નામે બેનર હોર્ડિંગ હટાવાયા હતાં. જેથી મહેશ સવાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવી રહિ છે.

આપમાં જાેડાયેલા મહેશ સવાણીને શુભેચ્છા આપતાં બેનરો વરાછા સહિત સરથાણા, યોગીચોક, પુણા, હીરાબાગ સર્કલ તમામ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં. સવારથી કોર્પોરેશનની અલગ-અલગ ઝોનની ટીમ દ્વારા જે તે વિસ્તારના મહેશ સવાણીના લાગેલા તમામ બેનરો પોસ્ટરો ઉતારી લેવાની કામગીરી શરૂ કરાઇ હતી. આપમાં મહેશ સવાણી જાેડાવાની સાથે જ અનેક બાબતોને લઈને ચર્ચાએ જાેર પકડયું હતું. મહેશ સવાણી જાેડાયા ત્યારથી જ તેમને હેરાન કરાશે તેવી અટકળો હોવાનું કહેતા આપના નેતાઓએ કહ્યું કે, સતા પક્ષ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને લોકોને હેરાન કરવાનું ષડયંત્ર યોજી રહ્યું છે.

Related Posts