સુરતના મગદલ્લા ર્ંદ્ગય્ઝ્ર અને ઇચ્છાપોર ચોકડી નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ૭ થી લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. કેટરર્સના શ્રમિકો ભરેલો ટેમ્પો આગળ દોડતી ટ્રક પાછળ ઘુસી જ્યાં અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું હતું. જાેકે અકસ્માત બાદ ઇજગ્રસ્તો તમામને તતાકાલિક અડાજણ-હજીરા ૧૦૮ની મદદથી સિવિલ ખસેડાયા હતાં. જ્યાં હાલ તમામની હાલત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.
શ્યામ પાસવાન (કોન્ટ્રાકટર) એ જણાવ્યું હતું કે, ૫-૬ મહિનાથી જ કેટરર્સનું કામકાજ કરી રહ્યો છું. આજે હજીરા તપોવન ફામ હાઉસમાં એક પારિવારિક પ્રસંગમાં નાસ્તા-પાણીનો ઓર્ડર હતો. તમામ કારીગરો કૈલાસ ચોકડીથી ટેમ્પોમાં બેસીને હજીરા તપોવન ફાર્મ જવા નીકળ્યા હતાં. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક રાજુ પણ ગંભીર રીતે ઘવાયો છે જ્યારે આ દુર્ઘટનામાં એકનું મૃત્યુ થયું હોવાનું પણ શ્યામ પાસવાને જણાવ્યું છે. આ દુર્ઘટનામાં ઘવાયેલા તમામ કેટરર્સના કારીગરો હોવાનું સ્પષ્ટ થયું છે.
Recent Comments