ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લા અને શહેરોમાંથી ય્જી્ કૌભાંડ પકડાઇ રહ્યા છે. સુરતમાં ડોકટરો, કલાસીસ સેન્ટર તેમજ અન્ય વેપારીઓને ત્યાં ય્જી્ વિભાગે દરોડા પાડ્યા છે. જેમાં ચિઠ્ઠીઓ, ડાયરીઓ અને રજિસ્ટરથી થતી કરચોરીનો પર્દાફાશ થયો છે. ય્જી્ વિભાગના દરોડામાં કુલ ૪૦ કરોડ રુપિયા કરતા પણ વધારે રુપિયાના વ્યવહારના કૌભાંડ બહાર આવ્યા છે. દરોડામાં સંસ્થાઓ અને વેપારીઓની રોકડ નીતિ પર ઘા કરવામાં આવ્યો છે. કરચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી મોડસ ઓપરેન્ડીને તોડવા માટે અધિકારીઓએ પ્રયાસ હાથ ધર્યો છે. સુરતમાં આવેલા એનિમેશન સેન્ટર, કોમ્પ્યુટર ક્લાસિસ, દવાખાના અને તમાકુના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. દરોડામાં બિલ વગર નીકળેલા માલની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી હતી.
સુરતમાં ડોકટરો, કલાસીસ સેન્ટર તેમજ અન્ય વેપારીઓને ત્યાં GST વિભાગનાં દરોડા

Recent Comments