સુરતમાં કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરમાં ત્રણ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે. પહેલા યુવતી આત્મહત્યા કરવાના ઇરાદે કુદી હતી. જે બાદ યુવતીને બચાવવા તેનો પતિ અને સાસુ પણ કૂદયા હતા. ગઈ કાલે સાંજના સમયે માંડવી નજીક આ દુર્ઘટના બની હતી. મોડી સાંજે સાસુ સિલા બેન ગામીતનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે યુવક અને યુવતીની ફાયર વિભાગ શોધખોળ કરી રહ્યું છે. પરિવાર માંડવીના અંકુર હોસ્પિટલ પાછળ રહેતો હોવાની વાત સામી આવી છે. જાેકે, પરિણીતાએ આ પગલું ક્યા કારણોસર ભર્યું તેની માહિતી સામે આવી નથી. પોલીસ તપાસ બાદ જ આ ઘટનાક્રમની સચ્ચાઈ સામે આવશે.
સુરતમાં પરિણીતાએ નહેરમાં લગાવી મોતની છલાંગ

Recent Comments