સુરતમાં વરસાદ રોકાયા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. સરકારી હોસ્પિટલમાં ઓ.પી.ડી માં કેસોની સંખ્યા પણ વધી રહી છે. આંજણાની વૃદ્ધાને સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેર અને જિલ્લામાં લેપ્ટોસ્પાઈરોસિસના બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આંજણાની ૬૦ વર્ષીય વૃદ્ધા અને બમરોલીનો ૩૫ વર્ષીય યુવક લેપ્ટોસ્પાઈરોસિસના ચપેટમાં આવ્યા છે.
બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતમાં વરસાદ રોકાયા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. સરકારી હોસ્પિટલમાં ઓ.પી.ડી માં કેસોની સંખ્યા પણ વધી રહી છે. આંજણાની વૃદ્ધાને લેપ્ટોસ્પાઈરોસિસના લીધે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે ૩૫ વર્ષીય યુવકની તબિયત હાલમાં સ્થિર છે. વરસાદના વિરામ બાદ ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મૂકે છે. જે બાદ તેઓ ૭થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે અને લોકોમાં રોગ ફેલાવે છે. શહેરી વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના લીધે ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છરની ઉત્પતિ વધતી જાય છે.
Recent Comments