શહેરના પાંડેસરા વિસ્તારના ભેસ્તાન ગાર્ડન નજીક ડિવાઈડર પાસેથી ૫ દિવસ પહેલા માસૂમ બાળકી ત્યજી દેવાયેલી હાલત મળી આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે હુમન સોસના આધારે તપાસ શરૂ કરી હતી. બાળકીને ત્યજી દેનાર બીજુ કોઈ નહિ પણ બાળકીને જન્મ આપનારના માતા-પિતા નીકળ્યા હતા.
દંપતી મનોજ છોટે લાલા શાહુ અને આશાબેન મનોજ ભાઈ શાહુની ધરપકડ કરી છે. દંપતીની પૂછપરછ કરવામાં આવતા બાળકી ત્યજી દેવાની કબૂલાત કરી હતી. આરોપી જણાવ્યુંં હતું કે, અવિવાહિત પુત્રી ગર્ભવતી થઈ જતા બાળકીને જન્મ આપતા સમાજમાં બદનામી થવા ના ડરથી બાળકીને ત્યજી દેવામાં આવી હોવાની કબૂલાત કરી છે. પોલીસે બન્નેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments