ગુજરાત

સુરતમાં સીઝનલ ફ્લુના કેસોની સાથે કોરોનાના વધતા કેસો અને H૩N૨ને લઇ તંત્ર એલર્ટ

સુરતમાં સીઝનલ ફ્લુના કેસોની સાથે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોના અને ૐ૩દ્ગ૨ માટે ખાસ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ૧૦ તો સ્મીમેર હોસ્પિટલમાં ૮ બેડ સાથેનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરી શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉપરાંત ઉનાળામાં માવઠું પડતા અને વાતાવરણમાં પલટાને લઇ સીઝનલ ફ્લુના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે.

હાલમાં સિવિલ હોસ્પિટલમાં દૈનિક ૧૫૦થી ૨૦૦ જેટલા સીઝનલ ફ્લુના કેસો સામે આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની સાથે સાથે શહેરમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જાેવા મળી રહ્યો છે. સુરતમાં ગતરોજ એક જ દિવસમાં શહેરમાંથી ૧૦ અને જિલ્લામાંથી ત્રણ મળી ૧૩ કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેને લઇ તંત્ર સતર્ક થયું છે અને તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરમાં ધીમે ધીમે સીઝનલ ફ્લૂની સાથે વધતા કોરોનાના કેસોને લઈ સુરતમાં મનપા દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરુ કરાયા બાદ હવે કોરોના અને ૐ૩દ્ગ૨ માટે આઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં ૧૦ બેડ અને સ્મીમેર હોસ્પિટલમાં ૮ બેડનો અઈસોલેશન વોર્ડ શરુ કરી દેવામાં આવ્યો છે.

સીઝનલ ફ્લુના દર્દીને તકલીફ ન પડે અને યોગ્ય સારવાર મળે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમ્પ સેલ બિલ્ડીંગમાં સીઝનલ ફ્લુના દર્દીઓ માટે ૧૦ બેડનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. તમામ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની જરૂરી સુવિધા સાથે સજ્જ રાખવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ગણેશ ગોવરેકરે જણાવ્યું હતું કે ગતરોજ કલેક્ટર દ્વારા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, સ્મીમેર હોસ્પિટલના અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સીઝનલ ફ્લુ અને કોરોનાના કેસોને લઈ મિટિંગ બોલાવવામાં આવી હતી.

જેમાં આગમચેતી રૂપે સીઝનલ ફ્લુની યોગ્ય ટ્રીટમેન્ટ થઈ શકે તે માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની સૂચના આપી હતી. જેને લઇ કોરોના ઉપરાંત સીઝનલ ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેઓને આઈસોલેશન રાખવા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. અહીં ૧૦ બેડ ઓક્સીજન અને વેન્ટીલેટર સહિતની સુવિધા સાથે સજ્જ કરવામાં આવ્યા છે. દર્દીઓને સારવાર માટે પૂરી ટીમ તૈયાર છે તેમ છતાં જાે દર્દીઓ વધશે તો જરૂરિયાત મુજબ સ્ટાફ પણ વધારવામાં આવશે.

Related Posts