સુરત ચલથાણ રાધે ધુન મંડળના સભ્યો દ્વારા ધુન મંડળ ની સદગત ને અનોખી શ્રધાંજલિ સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે પ્રજાપતી સમાજના અગ્રણી નાથુભાઈ મોહનભાઈ પ્રજાપતિ નુ અવસાન થતા તેમના આત્માને સ્મરણાથેઁ તા.2/9/21 ના રોજ વરાછા નુ પ્રસિધ્ધ ધુન મંડળ રાધે ધુન મંડળ દ્વારા ધુન-ભજન-કિતઁન ની રમજટ બોલાવેલ. તેમજ સદગતને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ,ધુન દ્વારા એકઠી થયેલ રકમ સેવાકીય પ્રવૃતિ મા વાપરવામાં આવે છે, રાધે ધુન મંડળ ના પ્રમુખ પરેશભાઈ સભાયા(જરખીયા) ઉપપ્રમુખ હિતેશ વેકરીયા(ધારેશ્વર) તેમજ તેમની ટીમના તમામ સભ્યો સારી એવી સેવા આપી રહેલ છે તેમજ સત્કાર્ય ની સુવાસ ફેલાવી રહેલ છે(રાધે ધુન મંડળ ની પ્રવૃત્તિ ઓ જેમ કે ગૌશાળા, અનાથ ગરીબ બાળકોને નાસ્તો ભોજન,પક્ષીઓ ને ચણ,કુંડા વિતરણ તેમજ ચબુતરા બનાવવા જેવી પ્રવૃતિ) રાધે ધુન મંડળના સભ્યો દ્વારા ખરા દિલના ભાવથી સેવા કરવામાં આવી રહેલ છે,તા.3 શુક્રવારે શિહોર(ભાવનગર)થી પધારેલ ભુદેવ નમઁદાશંકરદાદા જોષીએ સદગતના દિવ્ય આત્માને શાંતિ માટે વિધિ કરેલ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સગા-સબંધીઓ સાથે મહંત મહેશગીરી એ ધુન દ્વારા અને નમઁદાશંકરદાદા દ્વારા વિષ્ણુ સહસ્ત્ર ના 16 શ્લોકનુ પઠન કરેલ,
સુરત ચલથાણા સ્વ.નાથુભાઈ પ્રજાપતિની પ્રાર્થના સભામાં રાધે ધૂન મંડળ દ્વારા એકત્રિત રકમ પરમાર્થ વપરાય

Recent Comments