સુરતના કડોદરા પોલીસ મથકના જીઆરડી જવાનની હત્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસે હત્યાના ગુનામાં ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન આ હત્યા અંગત અદાવતને કારણે થઈ હોવાનું બહાર આવ્યું છે. જીઆરડી જવાન કિશન રાઠોડ હત્યા કેસમાં મુખ્ય સુત્રધાર શિવકાંત ઉર્ફે શિવા સહિત ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યા કેસમાં ૯ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો પોલીસે આરોપીઓ સાથે ૨ મોપેડ, રોકડ, મોબાઈલ સહિત ૧.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી શિવકાંત યાદવે ભાડુતી માણસોને મોકલીને જીઆરડી જવાનની હત્યા નિપજાવી હતી.
સુરત પોલીસે જીઆરડી જવાનની હત્યા મામલે ૪ શખ્સની ધરપકડ કરી

Recent Comments