સુરત સેન્ટ્રલ લાજપોર જેલમાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લવાયેલા કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત થયા બાદ લાશ પોસ્ટમોર્ટમ વગર સોંપી દેવાતા વિવાદ ઊભો થયો છે. પુત્ર સાથે કંઈક અજુગતું બન્યું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. જ્યારે સિવિલના તબીબ મૃતક કેદીને જામીન મળી ગયા હતા. અને તેના પરિવારના સભ્યોએ જ પોસ્ટમોર્ટમ માટે ના પાડી હોવાનું જણાવી રહ્યા છે.
એસએમસી આવાસમાં રહેતા રૂપેશ ઉર્ફે શનિ ધર્મેન્દ્ર દુબે (ઉ.વ.૨૧) ગત તા. ૩૦મીએ દારૂના કેસમાં ઉધના પોલીસના હાથે પકડાયો હતો. ત્યારબાદ ગત તા. ૩૧મીએ તેને સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો. દરમિયાન જેલમાં તેની તબિયત બગડતા ગત તા. ૩જીએ તેને સિવિલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ તા. ૫મીએ બપોરે સારવાર દરમિયાન રૂપેશનું મોત નીપજ્યું હતું. સિવિલના એમઆઈસીયુ વિભાગનો તબીબોએ તેનું મૃત્યુનું કારણ આપી પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશ પરિવારને સોંપી દીધી હતી. જાણકારોના કહેવા મુજબ આ પ્રકારના કેસમાં પોસ્ટમોર્ટમ કરાવવું અનિવાર્ય હોય છે. પરંતુ સિવિલમાં લાશ પોસ્ટમોર્ટમ વર સોંપી દેવાતા કશુંક રંધાયું હોવાની ગંધ આવી રહી છે. બીજી બાજુ પરિવાર રૂપેશની અંતિમ વિધિ કરી ચૂક્યા છે.
Recent Comments