સુરત શહેર ખાતે તળાવિયા પરીવાર ના છઠ્ઠા સ્નેહમિલન સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્નેહ મિલન નો મુખ્ય ઉદેશ સમાજ ઉપયોગી સંકલ્પ સાથે યુવાનોમાં વધુ ને વધુ જાગૃતિ આવે, દીકરા- દીકરીને સમાંતર ન્યાય, એક સરખું મહત્વ, વ્યસમુક્તિ નાના મોટા ભેદભાવો, કુરિવાજોને તિલાંજલિ આપવાની હાંકલ સાથે ઉનાળાના ધોમ ધખતા તાપમાં સાંજના પાંચ વાગ્યે તળાવીયા પરીવારના સૌ સભ્યોના હોશલાને બુલંદ બનાવવાના ઉત્તમ વિચારોથી તળાવીયા પરીવારની પ્રેરક ઉપસ્થિીતી માં જિલ્લા પંચાયત સદસ્યશ્રી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી.તળાવીયા નું પાઘડી શાલ અને મોમેન્ટો દ્વારા ભવ્ય આયોજક મિત્રો ,શ્રેષ્ઠ દાતાશ્રીઓ આયોજકો તળાવિયા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
સુરત શહેર ખાતે સમસ્ત તળાવીયા પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમમાં જનકભાઈ પી.તળાવીયા નું સન્માન કરવામાં આવ્યું

Recent Comments