ગુજરાત

સુરેન્દ્રનગર ખાતે ધંધુકા યુવકની હત્યા મામલે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

તાજેતરમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વના દિવસે સાંજના સમયે ધંધુકાના મોઢવાડા વિસ્તારમાં બે થી ત્રણ અજાણ્યા શખ્સો દ્રારા યુવક કીશન બોરીયા (ભરવાડ) પર ફાઇરીગ કરી હત્યા નિપજાવવામાં આવી હતી. જેનો સમસ્ત માલધારી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્રારા વિરોધ કરવામાં આવી રહયો છે. ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ માલધારી સમાજ દ્વારા જીલ્લા કલેકટરે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને યુવકની હત્યાના આરોપીઓને જાહેરમાં સજા આપવાની માંગ કરી હતી. આ તકે મોટી સંખ્યામાં માલધારી સમાજ સહિત યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.જયારે સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગરની બજારો બંધ હતી પરંતુ ઇન્ચાર્જ ડી.એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફે બજારમાં પેટ્રોલીંગ હાથ ધરી વેપારીઓને દુકાનદારોને ધંધો રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી.

Related Posts