સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી વિભાગની બેદરકારી સામે આવી રહી છે. તેવા સંજાેગોમાં અવાર-નવાર ગમે તે રૂટની બસો એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી રહી છે અને જેને લઇને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેવા સંજાેગોમાં ખાસ કરી એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા ૮૦થી વધુ રૂટની બસો બંધ કરી અને ફરી પરત રીતે ચાલુ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગતો મળી હતી. આ તમામ બસો ધ્રાંગધ્રા ડેપોની છે. ત્યારે અચાનક ગઇકાલથી આ બસો બંધ કરવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા છે. પેસેન્જરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
આ મામલે સુરેન્દ્રનગર ડેપો મેનેજર ઉપરાંત ધ્રાંગધ્રા ડેપો મેનેજરને રજૂઆત પેસેન્જરો દ્વારા કરવામાં આવી છે અને લેખિતમાં પણ અરજી કરવામાં આવી છે. મોડી રાત્રે જતી ધાંગધ્રા તરફ જતી અંતિમ એસટી બસ પણ બંધ કરી નાખવામાં આવતાં સમગ્ર પેસેન્જરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે તાત્કાલિકપણે પેસેન્જરો દ્વારા સુરેન્દ્રનગર ડેપો મેનેજર ઉપરાંત ધ્રાંગધ્રા ડેપો મેનેજરનો સંપર્ક સાધવામાં આવ્યો છે. તેમજ આ બસ શરૂ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કારણ કે આ બસમાં મોટાભાગે પેસેન્જરો વિદ્યાર્થી અને નોકરિયાત હોય છે. તે ૭ વાગે છૂટ્યા બાદ આ બસનો સહારો લઈને ધાંગધ્રા તરફ જતા હોય છે. ત્યારે આ જ બસ બંધ કરી નાખવામાં આવતા સમગ્ર પેસેન્જરોમાં રોષ જાેવા મળ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઇકાલે મંગળવારે મોડી સાંજથી વધુ ત્રણ રૂટની બસો બંધ કરી નાખવામાં આવતાં કડકડતી ઠંડીમાં મુસાફરો મોડે સુધી રઝળતા જાેવા મળ્યા હતા. જાે કે પેસેન્જરોએ પણ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને તાત્કાલિક આ બસો પૂર્ણ રીતે શરૂ કરવા માટેની માંગણી કરી હતી. તેવા સંજાેગોમાં સવારે ૯ વાગ્યે ધ્રાંગધ્રા તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે. ત્યારબાદ જામનગર તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે અને સાંજે છેલ્લો ફેરો કરતી ધ્રાંગધ્રાની પણ એસટી બસ બંધ કરી દેવામાં આવી છે.
Recent Comments