અમરેલી

સુવાગઢ ખાતે નીતિનભાઈ રાઠોડ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં કોળી સમાજ ની બેઠક યોજાઇ

દામનગર ના  સુવાગઢ ખાતે નીતિનભાઈ રાઠોડ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં કોળી સમાજ ની બેઠક યોજાઇ દામનગર  લાઠી તાલુકાના સુવાગઢ ગામે કોળી સમાજના આગેવાન જિલ્લા પંચાયતના સદસ્ય નીતિનભાઈ રાઠોડ બાબરા નગરપાલિકાના પૂર્વ સભ્ય નટુભાઈ જાસલીયા નાના રાજકોટ  શીવાભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકનો મુખ્ય હેતુ કોળી સમાજનું એક ભવ્ય સંકુલ ગાંધીનગર માં બનવા જઈ રહ્યું છે તેમના ટ્રસ્ટના અધ્યક્ષ ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરી રહ્યા છે તેમના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજ દીકરા દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળે અને વહેલી તકે આ સંકુલ ઊભું થાય તેવા પ્રયત્નો કરવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી લાઠી ગામના યુવા કોળી સમાજના આગેવાન સાગરભાઇ દેરડી સોમજીભાઈ રાભડા  જીતુભાઈ સુવાગઢ હરેશભાઈ ગામના સરપંચ અને આજુબાજુના ગામના કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુવાગઢ ગામેથી આ સંકુલ માટે સંપૂર્ણ ટેકો આપ્યો હતો જે યોગદાન ગામ વતી માગશે તે આપવા ગામ જનોએ ખાતરી આપી હતી

Related Posts