વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પ્રકૃતિપ્રેમ અને સહ અસ્તિત્વની ભાવના કેળવાય એ ઉમદા હેતુથી જૈન જાગૃતિ સેન્ટર પાલિતાણા અને અર્હમ યુવા સેવા ગ્રુપ ભાવનગરના સહયોગથી શ્રી સોનપરી પ્રા.શાળા 2ના તમામ બાળકોને ચકલી(પક્ષી )માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાલીતાણા જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ મણિયારે સંસ્થાની સેવાકીય તેમજ જીવદયાને લગતી પ્રવૃત્તિઓની માહિતી આપી માળા અને કુંડાની જરૂરિયાત બાબતે વિદ્યાર્થીઓને સમજ આપેલ.આચાર્યશ્રી જયસુખભાઈ રાઠોડે માળા અને કુંડાના જતન તેમજ સફાઈ અંગે માહિતી આપેલ.આ પ્રસંગે ચેતનભાઈ દીઓરા,રજનીભાઈ અને હરેશભાઇ મહેતા ઉપસ્થિ રહ્યા હતા.
Recent Comments