ગુજરાત

સોમનાથ દર્શનાર્થે આવતી દીકરીઓનું ભવ્ય આતીથ્ય કરાશે

સોમનાથ ના આંગણે તા. ૧૩ ને શનિવારે અમદાવાદા પાલડી હોસ્ટેલ માં રહી ને અભ્યાસ કરતી ૧૦૦ જેટલી દીકરીઓ સોમનાથ દાદાના દર્શનાર્થે આવી રહેલ છે તે તમામ દીકરીઓનું આતીથ્ય સાથે ભવ્ય સન્માન કરવામાં આવશે.

સોમનાથ ત્રીવેણી સંગમ ભાલકા તીર્થ સહીત ના ધાર્મિક સ્થળોએ લોહાણા કન્યા છાત્રાલય પાલડી અમદાવાદ માં અભ્યાસ કરતી ૧૦૦ થી વધારે દીકરીઓ તેમજ ટ્રસ્ટ મંડળ ના ટ્રસ્ટીઓ તા. ૧૩ શનિવારે આવી રહેલ છે તે દીકરીઓનું ભવ્ય આતીથ્ય સાથે સન્માન કરવામાં આવશે આ દીકરીઓના સન્માન માટે વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ જલ્યાણ ગ્રુપ ચેરમેન દીપકભાઈ કકકડસહમંત્રી ચિરાગ ભાઈ કકકડ,કારોબારી સભ્ય બીપીનભાઈ તન્નામહીલા આગેવાનો ઉષાબેન શિગાળા સહીતએ તૈયારીઓ કરેલ છે જેમાં દીકરીઓ આવશે તેને સૌથી પહેલા ત્રીવેણ સંગમ નૌકા વિહાર ત્યારબાદ વોકવે(દરીયાકિનારે),સોમનાથ દર્શન,ભોજન પ્રસાદી તેમજ સવારે ટ્રસ્ટીઓ,ગૃહમાતા તેમજ દીકરીઓનું સન્માન કરવામાં આવશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ આ કાર્યક્રમ માં સહકાર મળી રહેલ છે સૌ પ્રથમ વાર આટલી મોટી સંખ્યામાં દીકરીઓ આવતી હોયઅને તેનું આતીથ્ય સાથે ભવ્ય સ્વાગત થાય તે માટે સંપુર્ણ તૈયારી કરવામાં આવેલ છે.

Related Posts