સોમનાથ મંદિર આજથી અચોક્કસ મુદત સુધી બંધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/04/Somnath-current-1.jpg)
સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે ત્યારે અનેક ગામડાઓમાં અને શહેરમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન અને બંધના ર્નિણય લઈ રહ્યા છે. ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ એવા સોમનાથ મંદિરને પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર આવતીકાલ એટલે કે ૧૧ એપ્રિલથી સોમનાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય ર્નિણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન ર્નિણય કરવામાં આવ્ય છે.
સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.
Recent Comments