સોમનાથ માં શ્રાવણ માસ ને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલ છે સોમવારે રાત્રે કીર્તીબેન અખીયા ગ્રુપ દ્વારા શિવ ભકિત સાથે રાષ્ટ્ર વંદના નો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અનેક કલાકારો પોતાના સુર લેરાવશેસોમનાથ માં સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી દર શ્રાવણ માસ માં ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ દ્વારા આખો માસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમા તા. ૧૨/૮ ને સોમવાર ના રોજ વેરાવળ ના કીર્તાબેન અખીયા ગ્રુપ દ્વારા શિવ ભકિત સાથે રાષ્ટ્ર વંદના નો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં કીતીબેન અખીયા, મોહીની પીઠવા,દીપક કટારીયા સહીત ના કલાકારો પોતાના સુર લેરાવશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ભાટીયા ધર્મશાળા ના મેદાન માં સોમનાથ પરીષર માં આ કાર્યક્રમ વોટરપ્રુફ ડોમ,સોફા,ખુરશી સહીત ની શિવ ભકતો સ્થાનીકો માટે બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે વર્ષોથી સોમનાથ મહાદેવ ના સાંનિધ્યામાં શ્રાવણ માસ દીપકભાઈ કકકડ, મીલનભાઈ જોષી,રામભાઈ સોલંકી,પ્રવિણભાઈ ચૌહાણ,વિપુલભાઈ રાજા,જેસલભાઈ ભરડા કાર્યક્રમો યોજી રહયા છે જેમાં સોમનાથ ટ્રસ્ટ પરીવાર ખુબજ મોટો સહકાર આપી રહેલ છે તેમજ આખા માસ દરમ્યાન જે પણ કાર્યક્રમો યોજાય છે તેમાં સુપ્રસીધ્ધ કલાકારો સોમનાથ મહાદેવ માં પાર્વતી શ્રી કૃષ્ણ શ્રી રામ સહીત ભગવાન તથા માતાજીના તેમજ ૧૫ મી ઓગષ્ટ ને લઈને દેશ ભકિત ના અનેક ગીતો રજુ કરશે કોઈપણ જાતની આર્થિક અપેક્ષા રાખ્યા વગર માં સરસ્વતી પ્રાર્થના કરવા આવી પહોચે છે તો આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.
સોમનાથ માં રાત્રે શિવ ભકિત રાષ્ટ્ર વંદના ના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Recent Comments