આવો વિપક્ષે કેટલી વાર રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ?..
ભારતના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સમયમાં શરૂ થઈ હતી. ૧૯૬૩માં આચાર્ય કૃપાલાનીએ પંડિત જવાહરલાલ નેહરુ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં માત્ર ૬૨ વોટ જ પડ્યા હતા, જ્યારે અવિશ્વાસના પ્રસ્તાવની વિરુદ્ધમાં ૩૪૭ વોટ પડ્યા હોવાનું સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે. આ પછી ઈન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી સહિત અનેક વડાપ્રધાનોને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો હતો. ઈતિહાસની વાત કરીએ તો, અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર થયેલા મતદાનમાં હારી જવાને કારણે ત્રણ વડાપ્રધાનોએ, રાજીનામું આપવું પડ્યું હતું. વાસ્તવમાં જાે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં સરકારનો પરાજય થાય છે તો વડાપ્રધાન સહિત સમગ્ર મંત્રી પરિષદને રાજીનામું આપવું પડે છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયા વડાપ્રધાનને કેટલી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો છે? અવિશ્વાસના પ્રસ્તાવથી સરકાર પડી શકે ખરા? નહિ માની શકાય ને, અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાને કારણે ૧૯૯૦માં વીપી સિંહની સરકાર પડી ગઈ હતી. ૧૯૯૭માં એચ ડી દેવગૌડાની સરકાર અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની સરકાર પણ અવિશ્વાસના પ્રસ્તાવ પર બહુમતી મેળવી ના શકવા બદલ પડી ગઈ.
નવેમ્બર ૧૯૯૦માં વીપી સિંહ વિરુદ્ધ ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપે રામ મંદિરના મુદ્દે સમર્થન પાછું ખેંચ્યું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં ૩૪૬ વોટ પડ્યા હતા, જ્યારે અવિશ્વાસના પ્રસ્તાવની વિરુદ્ધમાં ૧૪૨ વોટ પડ્યા હતા. વર્ષ ૧૯૯૭માં એચડી દેવગૌડા વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવમાં ૨૯૨ સાંસદોએ સરકાર વિરુદ્ધ મતદાન કર્યું હતું. અને ૧૫૮ સાંસદોએ સરકારને સમર્થન આપ્યું હતું. તે જ સમયે, ૧૭ એપ્રિલ, ૧૯૯૯ ના રોજ અટલ બિહારી વાજપેયી અવિશ્વાસ પ્રસ્તાવમાં એક મતથી હાર્યા હતા. આવું એટલા માટે થયું કારણ કે છૈંછડ્ઢસ્દ્ભએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો તમને જણાવીએ તો, ઓગસ્ટ ૧૯૬૩માં આચાર્ય કૃપાલાનીએ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી હતી. આ અંગેની ચર્ચા બાદ તેની તરફેણમાં માત્ર ૬૨ વોટ પડ્યા હતા જ્યારે તેની વિરુદ્ધમાં ૩૪૭ વોટ પડ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી સામે અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવવામાં આવ્યો? જાે તે જણાવીએ તો, ૨ સપ્ટેમ્બર ૧૯૬૪ના રોજ, એનસી ચેટર્જીપ લાલ બહાદુર શાસ્ત્રી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા. આના પર મતદાન ૧૮ સપ્ટેમ્બરના રોજ થયું હતું પરંતુ ચેટર્જી લાલ બહાદુર શાસ્ત્રીની સરકારને તોડી પાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી માર્ચ ૧૯૬૫ અને ઓગસ્ટ ૧૯૬૫ના રોજ લાલ બહાદુર શાસ્ત્રી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ જે લોકો પ્રસ્તાવ લાવ્યા હતા તેઓ એક પણ વખત સફળ થઈ શક્યા ન હતા. ઈન્દિરા ગાંધી વિરુદ્ધ એક થી વધુ એમ કેટલી વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો? જાે તમને જણાવીએ તો, ઈન્દિરા ગાંધી વિરુદ્ધ સૌથી વધુ એટલે કે ૧૫ વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જ્યારે ઈન્દિરા ગાંધી પહેલીવાર ઁસ્ બન્યા ત્યારે તેઓ રાજ્યસભાના સાંસદ હતા. સીપીઆઈ સાંસદ હિરેન્દ્રનાથ મુખર્જી ઓગસ્ટ ૧૯૬૬માં તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ૨૭૦ સાંસદોએ તેના સમર્થનમાં મતદાન કર્યું જ્યારે ૨૭૦ સાંસદોએ તેનો વિરોધ કર્યો.
આ પછી, નવેમ્બર ૧૯૬૬ માં, ભારતીય જનસંઘના નેતાઓ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, પરંતુ તે પણ સફળ થઈ શક્યા નહીં. અટલ વિહારી વાજપેયીએ પણ તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ સફળ થયા ન હતા. નવેમ્બર ૧૯૬૭, ફેબ્રુઆરી ૧૯૬૮ અને નવેમ્બર ૧૯૬૮માં પણ ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. આ સિવાય ફેબ્રુઆરી ૧૯૬૯, જુલાઈ ૧૯૭૦, નવેમ્બર ૧૯૭૩ અને મે ૧૯૭૪માં પણ તેમની વિરુદ્ધ દરખાસ્ત લાવવામાં આવી હતી. ફરી મે ૧૯૭૫માં ઈન્દિરા ગાંધી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. તેમની સામે મે ૧૯૮૧, સપ્ટેમ્બર ૧૯૮૧ અને ઓગસ્ટ ૧૯૮૨માં પણ આવા જ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધીની સરકાર કોઈપણ અવિશ્વાસની દરખાસ્તમાં ગઈ ન હતી. તે જ સમયે, મોરારજી દેસાઈએ ૧૯૭૯ માં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કર્યા વિના પીએમ પદ છોડી દીધું હતું. આ પછી ડિસેમ્બર ૧૯૮૭માં સી. માધવ રેડ્ડી રાજીવ ગાંધીની સરકાર વિરુદ્ધ ઠરાવ લાવ્યા, પરંતુ તે સફળ ન થઈ શક્યા. ત્યારબાદ જુલાઈ ૧૯૯૨માં બીજેપી નેતા જસવંત સિંહ પીવી નરસિમ્હા રાવ વિરુદ્ધ ઠરાવ લાવ્યા. આના પર મતદાન ૧૭ જુલાઈ ૧૯૯૨ના રોજ થયું હતું. ૨૨૫ સાંસદોએ પ્રસ્તાવની તરફેણમાં અને ૨૭૧ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું. આ વર્ષે ડિસેમ્બર મહિનામાં અટલ વિહારી વાજપેયી પીવી નરસિમ્હા રાવ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. જેમાં ૨૧ કલાકની ચર્ચા બાદ ૧૧૧ લોકોએ પ્રસ્તાવના સમર્થનમાં જ્યારે ૩૩૬ સાંસદોએ તેના વિરોધમાં વોટિંગ કર્યું હતું. આ પછી ફરીથી પીવી નરસિમ્હા રાવને જુલાઈ ૧૯૯૩માં તેનો સામનો કરવો પડ્યો હતો. અહીં પણ તેઓ જીત્યા અને પીએમ રહ્યા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અટલ વિહારી વાજપેયી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ૧૮૯ સાંસદોએ તેના સમર્થનમાં જ્યારે ૩૧૪એ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બીજી તરફ મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળમાં તેમની વિરુદ્ધ એક પણ ઠરાવ લાવવામાં આવ્યો ન હતો.
Recent Comments