અમરેલી

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવીએ કોરોનાની વેક્સીન લેવા અમરેલીવાસીઓને કરી જાહેર અપીલ

કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે કોવિડ ગાઇડલાઇનના પાલન ઉપરાંત વેક્સિન લેવી અત્યંત જરૂરી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અનેક જાણીતા કલાકાર યુવાનોથી લઇને બધાને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યાં છે. લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા અમરેલી જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે અને કહ્યું છેકે મે પણ રસી લીધી છે તમે પણ રસી લો. નોંધનીય છેકે, આ પહેલા માયાભાઇ આહિરે પણ લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી.

મે પણ રસી લીધી છે અને તમે પણ રસી લો અમરેલી જિલ્લાના રહેવાસીઓને અપીલ કરતા કીર્તિદાન ગઢવીએ જણાવ્યું છેકે, ગુજરાત અને દેશભરમાં સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. મે પણ રસી લીધી છે અને તમે પણ રસી લો. ખોટી અફવાઓથી દૂર રહો. 18 વર્ષથી મોટી ઉમરના લોકો માટે રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. તો ઝડપથી તમારું રજીસ્ટ્રેશન કરાવો અને રસી લો. કારણ કે, રસી કોરોનાથી બચવા માટેનું અમુલ શસ્ત્ર છે. સાથોસાથ સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરીએ.

Related Posts