અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી જિલ્લા સમિતિની કારોબારી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના
પ્રભારી રામકિશનભાઇ ઓઝા, પુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના આગેવાનશ્રી નારણભાઇ રાઠવા, પ્રદેશ મહામંત્રી શ્રી જશવંતભાઇ ભાઈ ઉપસ્થિત રહયા હતા.
આ મીટીંગમાં તા. ર૪, રપ, ર૬ સપ્ટેમ્બર ર૦રર દરમિયાન મારૂ બુથ મારૂ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાનસભાના દરેક બુથમાં ”કોંગ્રેસના ૮ વચન” ની પત્રિકા મતદાતાઓના નિવાસસ્થાને અથવા તો સ્થાનિક બજારમાં, દુકાને દુકાને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવા બેઠકમાં ઉપસ્થિત તાલુકા / શહેર પ્રમુખો અને અગ્રણીઓને પ્રભારી રામકિશનભાઇ ઓઝા દવારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. ત્યારબાદ આ મીટીંગ પુર્ણ થયે અમરેલી જિલ્લા વિધાનસભાની ચુંટણીમાં પોતાની દાવેદારી નોંધાવનાર તમામ આવેદકોને રામકિશનભાઇ ઓઝા તથા નારણભાઇ રાઠવા દવારા રૂબરૂ વાતચીત કરી
તેમના સેન્સ લેવામાં આવેલ હતા.
સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝાની આગેવાનીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ કારોબારીની મીટીંગ યોજાઇ

Recent Comments