સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉત્તરવહી બચાવવાના પરિપત્રને લઇને પરીક્ષા નિયામકે ફેરવી તોળ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉત્તરવહીનો બગાડ અટકાવવા અલગ પ્રકારનો ર્નિણય કરવામાં આવ્યો હતો. જાે પરીક્ષામાં વિદ્યાર્થી મોટા અક્ષરે લખાણ લખશે અથવા વચ્ચે લીટી છોડશે તો પૂરક ઉત્તરવહી નહીં મળે તેવો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જાે કે બાદમાં પરીક્ષા નિયામકે એમ કહ્યું હતું કે, ‘આ માત્ર એક સૂચન છે. કોઈ પરિપત્ર નથી. માત્ર વિદ્યાર્થીઓને આ બાબતે પરીક્ષા પહેલા કહેવામાં આવશે. જે પણ વિદ્યાર્થીઓને સપ્લીમેન્ટરી જાેઇતી હશે તેને આપવામાં આવશે.
અત્રે મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અન્ય યુનિવર્સિટી કરતા કંઇક અલગ જ પ્રકારનો ર્નિણય લેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉત્તરવહીનો બગાડ અટકાવવા માટે અલગ જ પ્રકારનો ર્નિણય કરવામાં આવ્યો હતો. જેમાં જાે પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોટા અક્ષરે લખાણ લખશે અથવા તો વચ્ચે લીટી છોડશે તો વિદ્યાર્થીઓને પૂરક ઉત્તરવહી નહીં મળે. પરીક્ષાર્થીઓ મુખ્ય પ્રશ્નના પેટા પ્રશ્નની શરૂઆત પણ બિનજરૂરી જગ્યા છોડીને નહીં કરી શકે. ઉત્તરના લખાણ વચ્ચે બિનજરૂરી જગ્યા છોડવાની પણ મનાઇ ફરમાવી હતી. જાે કે અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકએ આ બાબતે ફેરવી તોળ્યું હતું. તેઓએ આ માત્ર એક સૂચન જ છે નહીં કે પરિપત્ર એમ નિવેદન આપ્યું હતું.
Recent Comments