સૌ.યુનિ.દ્વારા સેમેસ્ટરર ૧ થી ૪ માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણીક વર્ષ ર૦ર૧-રર માં પ્રવેશ ન આપવો તેવો એક પરિપત્ર કરાયેલ જેને કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્રઆના આશરે ૭૦૦૦ થી ૮૦૦૦ (સાત થી આઠ) હજાર વિદ્યાર્થીઓની કારકિર્દી દાવ પર લાગી હતી જેની ગંભીરતા કેન્દ્રરમાં રાખીને ડાયનેમિક ગૃપ-અમરેલી દ્વારા તા.૧૯/૦૬/ર૦ર૧ ના રોજ સૌ.યુનિ.કુલપતિ માન.નિતિનભાઈ પેથાણીને ધારદાર રજુઆત કરવામાં આવેલ
ત્યાકરે સૌ.યુનિ.દ્વારા તા.ર૪/૦૬/ર૦ર૧ ના રોજ મળેલ સિન્ડીતકેટ સભામાં સેમ-પ માં પ્રવેશ ન આપવાના નિર્ણયને રદ કરવામાં આવેલ જે નિર્ણયને ડાયનેમિક ગૃપ દ્વારા આવકારીને માન.કુલપતિ નિતિનભાઈ પેથાણી,સિન્ડિૂકેટ સભા તથા એકેડેમિક કાઉન્સિસલનો આભાર વ્યમકત કરવામાં આવેલ છે. આ તકે ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતુ કે વહીવટીય પારદર્શિતા તથા પ્રામાણિકતા ધરાવતા કુલપતિ માન.નિતિનભાઈ પેથાણીએ જયારથી યુનિ.ના કુલપતિ તરીકેનો પદભાર સંભાળ્યોં ત્યા રથી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી તથા વિશાળહિતમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે જે સમગ્ર સૌરાષ્ટ્રપ યુનિવર્સિટી માટે ગૌરવરૂપ બાબત છે ત્યાેરે સેમ ૧ થી ૪ માં એટીકેટી હોય તેવા વિદ્યાર્થીને સેમ-પ માં પ્રવેશ ન આપવાના પરિપત્રને રદ કરીને સેમ-પ માં પ્રવેશ આપવા મંજુરી આપવાના ઐતિહાસિક નિર્ણયને અમો આવકારીને સૌ.યુનિવર્સિટીના કુલપતિ માન.ડો.નિતિન પેથાણી, સિન્ડિરકેટ સભા તથા એકેડેમિક કાઉન્સિેલનો આભાર માનીએ છીએ.
Recent Comments