સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવાના ઇરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય શ્રી કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્યશ્રી લાલભાઈ ગોહિલ સહિતનાઓએ સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી સફાઈનું નિરીક્ષણ કરવામાં આવેલ અને જરૂરી સૂચના ,માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્વચ્છ સાવરકુંડલાની નેમ સાથે નવનિયુક્ત હોદ્દેદારો મેદાનમાં. આમ સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ સંદેશ સર્વત્ર ગુંજતો થયો. આપણું કુંડલા સ્વચ્છ કુંડલા એ સૂત્રને આત્મસાત્ કરવા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો હવે મેદાનમાં ઉતાર્યા.

Recent Comments