અમરેલી

સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ તરીકે ઉજવતા પુત્રો 

દામનગર ના વેપારી અગ્રણી વિનંતીભાઈ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ દિવસ તરીકે ઉજવતા પુત્રરત્નો સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના નું જીવન પથદર્શક,માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યું હતું.તેમણે તેમના જીવનકાળમાં નિ:સ્વાર્થ ભાવે અનેક સેવા કાર્યોની સરવાણી વહાવીને પોતાના જીવનને કૃત્ય કરીને સમાજમાં એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બનાવેલી કેડી ઉપર ચાલીને તેમના પરિવારે તેમની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ (પ્રેરણા દિવસ) નિમિત્તે પાણીના મીની અવેડા જરૂરિયાત મંદોને અનાજ, ચપ્પલનું વિતરણ અબોલ પશુઓ માટે વિશિષ્ટ સેવા કાર્યો તેમજ પાલીતાણા આદપર પાસે સ્થિત મંદબુદ્ધિ આશ્રમ ખાતે દિવ્યાંગ લોકોને ભાવથી ભોજન કરાવી દરેક દિવ્યાંગ જનને ચપ્પલ તથા રૂમાલ ભેટમાં આપ્યા હતા.સ્વ.વિનંતીભાઈની પુણ્યતિથિ નિમિત્તે એમના પુત્રરત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના તેમજ પરિવારે પ્રેરણાત્મક કાર્ય કરી સમાજના લોકોને વિશિષ્ટ રાહ ચીંધ્યો છે.આ આશ્રમ ખાતે ભિખાબાપુની દિવ્યાંગ લોકોની ઉમદા સેવાપ્રેરણાત્મક છે.અને સમાજમાં ઉત્તમ કાર્યનું ઉદાહરણ છે.

Related Posts