સરકારે અન્ય રાજ્યોની જેમ કાયમી સહાય આપવી જાેઈએ. આથી અમે સૌએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળીને પશુદિઠ દૈનિક ખર્ચના ૫૦ ટકા સહાય આપવા રજૂઆત કરી છે. તેમણે ર્નિણય લેવાનો ભરોસો આપ્યા છે પણ જાે સરકાર કોઈ ર્નિણય નહિ લે તો અમે સૌ ગૌશાળાઓના ઝાંપે તાળુ મારી ચાવી સરકારને આપી જતા રહીશું. ગૌવંશ માટે અમારા એકલાની કોઈ જવાબદારી નથી. સરકાર અને સમાજ સૌની જવાબદારી છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ગૌશાળા અને પાંજરાપોળો આવેલી છે. આ સંસ્થાઓના પ્રતિનિધીઓએ ર્સ્વિણમ સંકૂલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ રજૂઆત કરી હતી.”ગૌવંશ નું જતન, પાલન એ અમારી એકલાની જવાબદારી નથી. સરકારની પણ છે. ગૌશાળાઓને સહાય આપે નહી તો અમારે ઝાંપે તાળુ મારી સરકારને ચાવી આપીને ચાલ્યા જવુ પડશે” ર્સ્વિણમ સંકૂલમાં મંગળવારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ પાંજરાપોળોના સંચાલકો સાથે આવેલા સાધુ, સંતોએ આ ચિમકી ઉચ્ચારી હતી. ગૌસેવા સંઘના અધ્યક્ષ મુકુંદમુની મહારાજે જણાવ્યુ હતુ કે, વરસાદ ખેંચાયા બાદ ગૌશાળાઓનુ સંચાલન અઘરૃ થઈ પડયુ છે. ઘાસચારો સહિતની વ્યવસ્થાઓ મોંઘી છે. કોરોનાને કારણે હવે ડોનેશનનો ફ્લો પણ નહિવત છે. આ સ્થિતિમાં ગૌવંશનો રખરખાવ અને ઉછેર પાછળના ખર્ચને અમે પહોંચી વળી શકીએ તેમ નથી.
સ્વર્ણિમ સંકુલમાં સાધુ-સંતોની ચીમકી સરકાર : સહાય કરે નહીંતો ગૌશાળાને તાળાંબંધી

Recent Comments