રાષ્ટ્રપ્રેમ ઉજાગરના ઉમદા હેતુથી૭૭ માં સ્વતંત્રતાના દિવસે રાષ્ટ્રીય સેવક સંઘ તથા વોકિંગ ક્લબ જનતા બાગના સંયુક્ત ઉપક્રમે , આજરોજ પંડિત દિન દયાળ ઉપવન જનતા બાગ ખાતે દેશની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનારા સ્વતંત્રતા સંગ્રામના વીરોને યાદ કરી અને જનતા બાગમાં તાજેતરમાં બનાવેલ સ્મારક પર પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્રધ્વજને સલામીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. R.S.S પંડિત દિન દયાળ પ્રભાત શાખાના તમામ કાર્યકરો, વોકિંગ ક્લબના સભ્યો શ્રી અરવિંદભાઈ ગઢીયા, પરેશભાઈ હિંગુ, ભાવેશભાઈ હરસોરા, હિરાણીભાઈ, મયુરભાઈ વાઘેલા, લલિતકુમાર મારુ, શશીભાઈ રાઠોડ, હિંમતભાઈ પટેલ, મયુર સાવકા, જીતુભાઇ ચુડાસમા, જનતા બાગના કર્મવીર મહાવીરભાઈ તેમજ બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નગરજનોએ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નિયુક્ત થયેલા તેમજ પ્રકૃતિપ્રેમી એવા એ.એસ.આઈ. શ્રી જે. કે. આહીર સાહેબ તથા શ્રી એચ.એસ કામળિયા સાહેબે પણ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપેલ….
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સેવક સંઘ તથા સાવરકુંડલા વોકીંગ ક્લબ દ્વારા દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા સ્વતંત્રતા સંગ્રામ વીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી.

Recent Comments