ગુજરાત

સ્વીટીનું મર્ડર થયાની શંકા વધુ પ્રબળ બની, હાડકાં બાદ હવે લોહીનાં નમૂના મળ્યાં. અજય દેસાઈ અને સ્વીટી પટેલ જે ઘરમાં રહેતાં હતાં તેના બાથરુમમાંથી બ્લડ સેમ્પલ મળ્યાં.

ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપાયા બાદ અજય દેસાઈએ નાર્કોનો ઈનકાર કરતા અનેક તર્ક-વિતર્ક

ચકચારી સ્વીટી પટેલ કેસ હવે થોડા જ સમયમાં ઉકેલાઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્યારસુધી પોલીસને આ કેસની તપાસમાં દહેજ નજીકના અટાલી ગામમાં આવેલી એક અવાવરું બિલ્ડિંગમાંથી ૩૫-૪૦ વર્ષની વય ધરાવતી કોઈ વ્યક્તિના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ હવે સ્વીટી પટેલ જે ઘરમાં પોતાના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે રહેતાં હતાં ત્યાંના બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા છે.
હાલ આ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કરજણની પ્રાયોશા સોસાયટીમાં આવેલા અજય દેસાઈના ઘરમાં ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બાથરુમમાંથી શંકાસ્પદ લોહીના ડાઘ મળી આવ્યા હતા. આ સેમ્પલ બ્લડના જ છે કે કેમ અને તે સ્વીટી પટેલનું જ લોહી છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે પોલીસે હ્લજીન્ની મદદ લીધી છે. અત્યારસુધી આ કેસની તપાસ કરી રહેલી વડોદરા પોલીસને આ ડાઘા કેમ ના દેખાયા તે અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે.

અગાઉ જે સળગેલા હાડકાં પોલીસને મળ્યા હતા તે સ્વીટી પટેલના જ છે કે કેમ તે જાણવા માટે હ્લજીન્માં તેનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જાેકે, તેનો રિપોર્ટ આવવાનો હજુય બાકી છે. આ ઉપરાંત, હવે બ્લડના જે સેમ્પલ મળ્યા છે તેનો પણ ટેસ્ટ કરવામાં આવશે. આ બંને રિપોર્ટ આવતા જ આ કેસમાં નવો વળાંક આવે તેવી પૂરી શક્યતા છે. આ સિવાય સ્વીટીના પતિ અજય દેસાઈના સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ, નાર્કો ટેસ્ટ અને પોલિગ્રાફી ટેસ્ટના રિપોર્ટ પણ પેન્ડિંગ છે.

સ્વીટી પટેલ પ્રાયોશા સાોસાયટીમાં આવેલા મકાનમાંથી જ ૦૫ જૂનના રોજ રહસ્યમય રીતે ગુમ થયા હતા. તેમના પતિ પીઆઈ અજય દેસાઈનો દાવો છે કે સ્વીટી પટેલ બે વર્ષના દીકરાને મૂકીને કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. જાેકે, પોલીસને અત્યારસુધી સ્વીટી પટેલ તે સમયે સોસાયટીની બહાર નીકળી ક્યાંય ગયા હોય તેવો એકેય પુરાવો નથી મળ્યો. તેઓ બીજી કોઈ રીતે વડોદરાની બહાર નીકળ્યા હતા કે કેમ તેની પણ પોલીસે ખૂબ તપાસ કરી છે, પરંતુ તેમાંય કશુંય એવું જાણવા નથી મળ્યું.

આ કેસની તપાસ જ્યાં સુધી વડોદરા પોલીસના હાથમાં હતી ત્યાં સુધી પીઆઈ અજય દેસાઈ નાર્કો ટેસ્ટ માટે હા પાડી રહ્યા હતા. જાેકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જેવી તપાસ પોતાના હાથમાં લીધી કે તે જ સમયે દેસાઈએ પોતે શારીરિક અને માનસિક રીતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી તેવું કારણ આપી ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. આ કેસમાં તેઓ જ એકમાત્ર શકમંદ છે. ઘણા દિવસોથી પીઆઈ અજય દેસાઈ પાસેથી તમામ ચાર્જ લઈ તેમને રજા પર ઉતારી દેવાયા છે, હવે તેમને શહેરની બહાર જવા પર પણ મનાઈ ફરમાવાઈ છે.

Follow Me:

Related Posts