અમરેલી

સ્વ મોહનભાઇ રણછોડભાઈ નારોલા ની સ્મૃતિ માં સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાયો

દામનગર ના શક્તિપીઠ ગાયત્રી ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે  સ્વ મોહનભાઇ રણછોડભાઈ નારોલા ની સ્મૃતિ માં સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદીક દવાખાના વિભાગ ગાંધીનગર સહયોગ થી સર્વરોગ નિદાન સારવાર કેમ્પ  યોજાયો સ્વ મોહનભાઇ રણછોડભાઈ નારોલા ના પુત્રરત્ન વલ્લભભાઈ અને ઘનશ્યામભાઈ ના સૌજન્ય થી યોજાયેલ નેત્રયજ્ઞ માં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની રાજકોટ સ્થિત હોસ્પિટલ ની તબીબી સેવા એ આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર સાથે વિના મૂલ્યે નેત્રમણી આરોપણ ચશ્માં દવા ટીપાં રહેવા જમવા અલ્પહાર દર્દી નારાયણો ને લાવવા લઈ જવા સુધી ની તમામ સેવા વિના મૂલ્યે આપનાર છે નેત્રયજ્ઞ સાથે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ માં દામનગર અજમેરા હેલ્થ સેન્ટર ના ડો મનીષ જેઠવા એ સેવા આપી હતી આ સેવા યજ્ઞ માં દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો 

Related Posts