ભાવનગર

સ્વ. રજની કાન્ત ગાંધી પરિવારના સૌજન્યથી વર્ષ ૨૦૨૨ ના પ્રારંભે ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર શાળામાં ૧૦૦ વિદ્યાર્થિની ઓને રૂપિયા ૩ લાખ ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી

ભાવનગર સ્વ.શ્રી.રજની કાન્ત ગાંધી પરિવારના સૌજન્યથી વર્ષ ૨૦૨૨ ના પ્રારંભે  ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર શાળામાં ૧૦૦  વિદ્યાર્થિની ઓને રૂપિયા ૩ લાખ ની શૈક્ષણિક સહાય કરવામાં આવી હતી શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત શીશુવિહાર સંસ્થા દ્વારા સતત બાવીસમાં વર્ષે યોજાયેલ કાર્યક્રમ માં જાણીતા ચિંતક શ્રી અરુણભાઈ દવે એ નઈ તાલીમની  સાંપ્રતતા દર્શાવી  મહિલાઓ  પોતાના જીવનમાં સતત વિકસિત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શીશુવિહાર સંસ્થા ના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ હીરાબેન  ભટ્ટ પરિવાર ના પ્રતિનિધિ શ્રી ઇન્દિરાબેન ભટ્ટ . તેમજ રચનાબેન ગૌરાંગભાઈ ગાંધીએ ઉપસ્થિત રહી બહેનોને પુરસ્ક્રૂત કર્યા હતા. ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમ નું સંકલન શ્રી  સુરસંગભાઈ એ કર્યું હતું અને તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts