ગુજરાત ના સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા હજીરા અદાણી પોર્ટ પર ખાંડની ડિલિવરી માટે આવેલા મહારાષ્ટ્રના એક ટ્રક ડ્રાઈવરનું રહસ્યમય મોત નીપજયું હતું. મૃતક અશોકને બે દીકરી અને એક દીકરો તેમજ પત્ની અને માતા-પિતાનો આર્થિક સહારો હતો. ઘટનાની જાણ બાદ તમામ શોકમાં ગરકાવ થઈ ગયા છે. અશોકના અકસ્માત મોત પાછળ કંપનીની બેજવાબદારી સામે આવી છે. કરંટ લાગવાથી જ મોત થયું હોવાનું કેબિનના મેનેજરે કહ્યું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. અશોક સાવલે ટ્રાન્સપોર્ટનો કર્મચારી હોવાનું અને અદાણી પોર્ટ પર કેબિનમાં રિપોટિંગ માટે જતા કરંટ લાગવાથી મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજેન્દ્ર પાટીલ (સાથી ટ્રક ડ્રાઇવર) એ જણાવ્યું હતું કે,તેઓએ ૫ ટ્રકમાં ૫ ડ્રાઇવર ખાંડનો જથ્થો ભરીને અદાણી પોર્ટ પર ડિલિવરી માટે આવ્યા હતા. એક પછી એક તમામ અદાણી પોર્ટ પર નિયમ મુજબ કેબિનમાં રિપોર્ટિંગ માટે જઈ રહ્યા હતા. આવા સંજાેગોમાં અશોકને કેબિનમાં કરંટ લાગતા તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો.
હજીરા અદાણી પોર્ટ ઉપર ખાંડની ડિલિવરી માટે આવેલા મહારાષ્ટ્રના એક ટ્રક ડ્રાઈવરનું રહસ્યમય મોત

Recent Comments